We Love Financial Planning
  • Home
    • Rohit Shah's Corner
    • CSR >
      • Wealth Shiksha
  • Services
    • Financial Planning >
      • What we do
      • How we do
      • Why Us
    • Rate Card
    • Kids & Money
    • Employee Financial Wellness
    • Mutual Fund Advice
    • Disclaimer & Disclosure
  • Get Started
  • Blog
    • Resource Guide
    • Beyond Money
  • FREE
    • FREE Sample Plan
    • FREE eBooks
    • Videos
    • Calculators >
      • Retirement Planning Calculator
      • Life Insurance Planning Calculator
      • Goal Planning Calculator
      • Future Value Calculator
    • Templates
    • Infographics
  • Media
    • Quotes
    • Coverage & Interviews
    • Articles
    • Q&A
  • Gallery
    • Events
    • Testimonials >
      • Testimonials - Financial Planning
      • Testimonials - Blog & Media Articles
      • Testimonials - Seminars
    • Photos
    • Our Ads
  • Contact

શું આપોઆપ નિયુક્ત થયાનો અર્થ એ કે તમે સંપત્તિના માલિક છો ? 

27/2/2014

0 Comments

 
Picture
સંપત્તિના માલિકના ગુજરી ગયા બાદ આપોઆપ નિયુક્ત થયેલ માણસ એનો વારસો મેળવે છે એ પ્રમાણેની બહુ સ્વીકૃત સમજણથી વિરુદ્ધ જતી બાબત એ છે કે તે સામાન્ય રીતે એ માત્ર ટ્રસ્ટી તરીકે જ કામ કરે છે અને કાયદાકીય દૃષ્ટિએ એ સંપત્તિના વારસદારો સ્થાપિત થઈ જાય ત્યાં સુધી જ સંપત્તિનો કબજો રાખે છે. માત્ર ઈક્વિટી શેર તેમજ ઈ.પી.એફ. રકમના કિસ્સામાં નિયુક્ત થયેલ માણસ આપોઆપ એ સંપત્તિનો માલિક થઈ જાય છે. બાકીના તમામ કિસ્સામાં જે વ્યક્તિનું નામ વીલમાં જણાવાયુ હોય તેને જ સંપત્તિ વારસામાં મળે છે. વીલની ગેરહાજરીમાં ઉત્તરાધિકારીને લગતા કાયદા મુજબ કાર્યવાહી થાય છે. તેથી કરીને વીલ તૈયાર કરવું અને એની નોંધણી કરાવવી એ બાબત ભવિષ્યમાં ઊભી થનારી કાયદાકીય મુશ્કેલીઓને ટાળવા માટે હંમેશા વધુ સારી છે.

ગયા અઠવાડિયે આપણે તમારા પ્રેમાળ વ્યક્તિના મૃત્યુ બાદ જ્યારે તેની સંપત્તિ પરનો દાવો કરવાનો થાય ત્યારે એ અંગે મહત્વના જે દસ્તાવેજો તમારી પાસે હોવા જ જોઈએ તે વિશે ચર્ચા કરી. આ અઠવાડિયે ચાલો આપણે તપાસીએ તમારા સંપત્તિના આયોજનમાં નિયુક્ત થનાર માણસની ભૂમિકા વિશે.

આપણે વારંવાર લોકોને એવું કહેતા સાંભળતા હોઈએ છીએ કે તમારા રોકાણોમાં નિયુક્ત વ્યક્તિનું નામ લખાવેલું હોવું એ ફરજિયાત છે. જ્યારે તમે તમારું રોકાણ કરો ત્યારે જો નિયુક્ત વ્યક્તિનું નામ લખાવવું એ અગત્યનું પગથીયું  હોય તો યાદ રાખો કે તમારા મૃત્યુ બાદ તમે જેને નિયુક્ત કર્યા છે એ વ્યક્તિ આપોઆપ તમારી સંપત્તિને વારસામાં મેળવે છે એની કોઈ ખાતરી હોતી નથી. આશ્ચર્ય પામ્યા ને ! યાદ રાખો કે નિયુક્ત થયેલ વ્યક્તિ એ અનિવાર્યપણે માત્ર ટ્રસ્ટી જ છે. જેનો અર્થ એ થાય છે કે જ્યાં સુધી ન્યાયાલય એ સંપત્તિના કાનૂની દૃષ્ટિએ જે વારસદારો છે તેને સંપત્તિ સોંપવાનો હુકમ કરે ત્યાં સુધી તે માત્ર સંપત્તિ પર કબજો રાખી શકે છે. ત્યાર બાદ વીલમાં જે કાયદાકીય વારસદારોના નામનો ઉલ્લેખ થયો હોય અથવા કાયદાકીય દૃષ્ટિએ જે ઉત્તરાધિકારીઓ બનતા હોય તેઓને સંપત્તિ વારસામાં મળે છે.

ચાલો, ટૂંકમાં જોઈએ કે વિવિધ સંપત્તિના કિસ્સામાં નિયુક્ત થયેલ વ્યક્તિની શું સ્થિતિ હોય છે :

વિમો : વિમેદારના મૃત્યુ બાદ પોલિસીમાં જે  વ્યક્તિનું  નામ નિયુક્ત તરીકે લખવામાં આવ્યું છે એને વિમા કંપની વિમાની રકમ આપવાની છે. ત્યારબાદ નિયુક્ત થયેલી વ્યક્તિ એ રકમ મૃતક વ્યક્તિએ કરેલા વીલમાં જણાવ્યા અનુસાર તેના કાયદાકીય વારસદારોમાં વહેંચી નાખશે. જો વીલને રજૂ નહી કરવામાં આવે તો કાયદાકીય ઉત્તરાધિકારીઓનો કાયદો લાગુ કરવામાં આવશે. અને એમાં જે પ્રમાણે યોગ્ય હશે એ મુજબ રકમ વહેંચવામાં આવશે.

કો - ઓપરેટીવ હાઉસિંગ સોસાયટીના શેરો : વિમાના કિસ્સાની જેમ જ હાઉસિંગ સોસાયટીમાં રોકાણ કરવામાં આવેલા શેરો પણ કામચલાઉ ધોરણે મૃતક વ્યક્તિએ જેને નિયુક્ત કરેલ હોય એ વ્યક્તિને તબદીલ કરવામાં આવે છે. નિયુક્ત થયેલી વ્યક્તિએ એ શેરોને કાનૂની દૃષ્ટિએ ન્યાયાલય જેને યોગ્ય ઠરાવે તે વારસદારોને તબદીલ કરવાના રહે છે અથવા વીલમાં જણાવ્યા અનુસાર વ્યક્તિને શેરો આપવાના રહે છે. ફરીથી જોઈએ, મહારાષ્ટ્ર કો - ઓપરેટીવ સોસાયટી એક્ટ એવું વિધાન કરે છે કે  નિયુક્ત વ્યક્તિને જે વસ્તુ તબદીલ કરવામાં આવે છે તે તેને સીધેસીધુ સુપરત કરવામાં નથી પરિણમતું. જાત મહેનત દ્વારા કમાવેલી સંપત્તિના કિસ્સામાં વીલ એ નિર્ણાયક પરિબળ બને છે. જો વીલ ન હોય તો સંપત્તિ સાથે બિનવારસદાર સંપત્તિ તરીકે વ્યવહાર કરવામાં આવે છે. આવી બિનવારસદાર સંપત્તિના કિસ્સામાં મૃતક વ્યક્તિના પરીવારના સૌથી નજીકના સભ્યો સંપત્તિને સરખે ભાગે પ્રાપ્ત કરે છે. જો કમાવેલી સંપત્તિની સહિયારી માલિકી હોય તો જીવિત માલિક એ સંપત્તિનો એક માત્ર માલિક બની રહે છે.

કંપનીના શેરો : કંપનીમાં રોકવામાં આવેલા શેરો સાથે રોકાણના અન્ય સ્વરૂપોની તુલનામાં અલગ વ્યવહાર કરવામાં આવે છે. અહીં, કંપની ધારો લાગુ પાડવામાં આવે છે. અને ડીમેટ ખાતામાં નિયુક્તિ પામેલી વ્યક્તિ, શેરોના માલિકના મૃત્યુ બાદ કાયદાકીય દૃષ્ટિએ વારસદાર ગણાય છે. જો કે શેરોના કિસ્સામાં નિયુક્તિ પામેલી વ્યક્તિ, વીલમાં કોઈ અન્ય વ્યક્તિનું નામ હોવા છતાં પણ માલિક ગણાય છે.

કર્મચારીનું પ્રોવીડંટ ફંડ : શેરોની જેમ જ મૃતક વ્યક્તિના ઈ.પી.એફ. ખાતામાંની રકમ પણ નિયુક્તિ પામેલી વ્યક્તિનું નામ ત્યાં સમાવિષ્ટ હોય તેને જ આપવામાં આવે છે. ફરીથી આ કિસ્સામાં પણ વીલમાં જણાવેલી વ્યક્તિ કરતાં નિયુક્તિ પામેલી વ્યક્તિ વધુ પ્રભાવી રીતે માલિક તરીકે ઊભરી આવે છે. આ પ્રકારની નિયુક્તિ ઘણા બધા પરિવારના સભ્યોના પક્ષમાં કરી શકાય છે, જે મુજબ પ્રત્યેક નિયુક્ત વ્યક્તિ શેરોના વારસદાર બની શકે છે.

અન્ય સંપત્તિ : ઉપર જણાવ્યા તે પ્રકાર સિવાયની અન્ય પ્રકારની સંપત્તિ માટે નિયુક્ત થયેલી વ્યક્તિ જેમ કે મ્યુચ્યુઅલ ફંડ, પબ્લિક પ્રોવીડંટ ફંડ અને બેંક એકાઉંટ (બચતબેંક, ફિક્સ્ડ ડીપોઝીટ્સ) વગેરે સંપત્તિના કિસ્સામાં પણ આપમેળે માલિક બની જવાતું નથી. ધ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ સ્પષ્ટ કરે છે કે મૃતક વ્યક્તિના ખાતામાં રહેલી રકમ કાયદાકીય દૃષ્ટિએ ઉત્તરાધિકારી ધારા મુજબ વિતરીત કરવામાં આવે.

જેમ તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે તદ્દન સાદાઈથી નિયુક્ત વ્યક્તિનું નામ માત્ર લખી દેવાથી એને ઈક્વિટી શેરો અને ઈ.પી.એફ.ના કિસ્સા સિવાય અન્ય કોઈ પણ પ્રકારની સંપત્તિનો માલિક બનાવી શકાતો નથી.  તેથી કરીને અમે આપને ભલામણ કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે તમે વીલ બનાવો અને તમારા મૃત્યુ બાદ તમારા પરિવારના સભ્યોને ભવિષ્યમાં ભોગવવી પડે એવી સમસ્યાઓને ટાળવા માટે એની પાકી નોંધણી પણ કરાવો.

જ્યારે ઉપર મુજબનો મૌલિક લેખ અમે લખ્યો ત્યારે અમે 'ઈકોનોમિક ટાઈમ્સ', 'બીઝનેસ સ્ટાંડર્ડ' અને 'લૉયર્સ ક્લબ ઈંડિઆ' માં પ્રકાશીત થયેલા એના જેવા અન્ય લેખોમાંથી પ્રેરિત થયા છીએ.

સ્મિતા હરિ (મૂળ અંગ્રેજી લેખક)
કલ્પેશ સોની (ગુજરાતીમાં અનુવાદ) 

Does being a nominee automatically means you are the owner of assets?

This article was published on Moneycontrol

0 Comments

શેરોમાં અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવામાં શું તફાવત છે ? 

25/2/2014

0 Comments

 
Picture
'ઈક્વિટી બજાર' શબ્દ અંતર્ગત કંપનીઓના શેરોમાં સીધે સીધું રોકાણ કરવાની બાબતનો અથવા મ્યુચ્યુઅલ ફંડના માધ્યમથી આડકતરૂં રોકાણ કરવાનો સમાવેશ થાય છે. દા.ત. જોઈએ તો તમારા મિત્ર રાજ પાસે 50,000 રૂપિયા છે કે જેને તે ઈક્વિટી બજારમાં રોકવા માંગે છે. જો તે શેર બજારમાંથી સીધે સીધી રીતે ખરીદી કરીને કંપનીના શેરો, દા.ત. (રીલાયંસ ઈંડસ્ટ્રીઝ), ખરીદવાનું પસંદ કરે તો એ નાણાનું શેરોમાં રોકાણ તરીકે નિર્માણ થાય છે. એના બદલે જો તે જુદી જુદી કંપનીઓના શેરો ખરીદી લઈને ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે તો એ નાણાનું મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ દ્વારા સર્જન થાય છે.

તેમ છતાં બન્ને પ્રકારના રોકાણો 'ઈક્વિટી રોકાણ'ની રચના કરે છે, કે જેમાં ઘણા તફાવતો છે કે જેના વિશે રોકાણકારે જાણવાની આવશ્યકતા રહે છે. કારણ કે તેણે રોકાણ કરવા અંગેના નિર્ણયો લેવાના છે.

રોકાણની વ્યવસ્થા : શેરોના એક રોકાણકાર તરીકે પ્રત્યેક શેરમાં ક્યારે, શું અને કેટલું રોકાણ કરવું એ સંપૂર્ણ રીતે તમારા પર આધારિત છે. તમારે સતત તમારા શેર પર દેખરેખ રાખવાની આવશ્યકતા છે, બજારની હિલચાલ, કે જે તમારા શેરને અસરકર્તા બની રહેતી હોય તેનું અત્યંત નજીક રહીને અનુસરણ કરવાનું રહે છે. અને તમારા વ્યક્તિગત નિર્ણય પર આધાર રાખીને તમારે ખરીદી / વેચાણ અંગેના નિર્ણયો લેવાના હોય છે. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું વધુ સહેલું છે. કારણ કે વ્યાવસાયિક દૃષ્ટિએ લાયકાત ધરાવનાર ફંડ વ્યવસ્થાપક પોર્ટફોલિયોમાં ફંડ તેમજ શેરના ખરીદ - વેચાણની દેખરેખ રાખતા હોય છે.

વિવિધતા : જ્યારે તમે શેરમાં રોકાણ કરો ત્યારે તમારું જોખમ કેન્દ્રિત થયેલું હોય છે જેમ કે તમારા રોકાણો કોઈ એક ચોક્કસ કંપની અથવા કંપનીના ગ્રુપ્સ પૂરતા મર્યાદિત રહેતા હોય છે. સૌથી વધુ શક્ય એ છે કે તમે કદ અને વિભાગ પ્રમાણે એમાં વિવિધતા લાવી શકો છો. ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડનું કદ પ્રમાણે, વિભાગો મુજબ, પાકતી મુદત આધારિત, રોકાણને લગતા ઉદ્દેશ વગેરે પર આધાર રાખીને વર્ગીકૃત કરી શકાય છે. ચોક્કસ ફંડની અંદર પણ પોર્ટફોલિયોને જુદી - જુદી કંપનીઓમાં સમાવિષ્ટ કરી શકાય છે, કે જેની પોતાની જોખમની સામે વળતરને લગતી રૂપરેખાઓ હોય. તેમ છતાં તમારું રોકાણ વવિધ્યપૂર્ણ રહે છે. મ્યુચ્યુઅલ ફંડને અન્ય બીજા વર્ગો જેવા કે ઋણ, સોનું અથવા ઋણ અને ઈક્વિટી બન્નેના મિશ્રણના રૂપમાં પણ રોકી શકાય છે. મ્યુચ્યુઅલ ફંડને લગતા સૌથી મોટા લાભો પૈકીનો આ એક લાભ છે.

અસ્થિરતા : શેરમાં વૈયક્તિક રોકાણ બહુ ભારે પ્રમાણમાં અસ્થિર છે એના કારણે એકલા શેરમાં રોકાણ કરવામાં જોખમ રહેલું છે. તમારા ઉતાવળીયા નિર્ણયને કારણે એના પરિણામમાં અસર જોવા મળે છે.  મ્યુચ્યુઅલ ફંડમાં કરવામાં આવતા રોકાણો, પ્રત્યેક ફંડના પોર્ટફોલિયોમાં રહેલા શેરના વૈવિધ્ય તેમજ સંખ્યાના કારણે પ્રમાણમાં ઓછા અસ્થિર હોય છે, કે જે અણધાર્યા સંજોગોમાં પણ વિશાળ પાયે સરળ રહે છે. શેરને મર્યાદિત બનાવવા માટે હકારાત્મક રૂપાંતરીત થનારા શેર લેવામાં આવે તો એ વધુ સારું કામ નથી આપતા.

વળતર : સીધી સીધી રીતે શેર બજારમાં રોકાણ દ્વારા મળનારા વળતરનો આધાર તમારા જ્ઞાન, ધીરજ, અને તમે જે સમયનો ભોગ આપો છો એના પર રહેલો છે. તેજીના સમયમાં તમે કોઈ ખાસ ભારે કામ કર્યા વિના વિશાળ નફો કરી શકો છો. પરંતુ મંદીના સમયમાં એનાથી બરાબર ઊલટું સાચું છે, જેમ કે શેર બજારમાં રોકાણ કરવું એ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની તુલનાએ વધુ જોખમ ભરેલું છે. મ્યુચ્યુઅલ ફંડ તમને શેર બજારની સરખામણીમાં સંતુલિત વળતર (તેજીમાં શેર બજારમાં મળતા અદભૂત વળતર જેવું નહીં તેમજ મંદીમાં શેર બજારમાં મળનારા અત્યંત મંદ વળતર જેવું પણ નહીં) આપે છે. મૂળભૂત રીતે મ્યુચ્યુઅલ ફંડમાંથી પ્રાપ્ત થનારું વળતર શેર બજારમાંથી ઉપલબ્ધ થનારા વળતરને અરીસો દેખાડનારું (ઉદાહરણરૂપ) બની રહે છે.

રોકાણના પ્રકારો : તમે મ્યુચ્યુઅલ ફંડમાં અમુક એક રકમનું રોકાણ કરી શકો અથવા પદ્ધતિસર રોકાણનું આયોજન (સીસ્ટેમેટિક ઈંવેસ્ટમેંટ પ્લાન - એસ.આઈ.પી.) અંતર્ગત સમયગાળા મુજબ રોકાણો પણ કરી શકો. એસ.આઈ.પી. પ્રકાર લાંબા સમયગાળા માટે અત્યંત સલાહભર્યો ગણાય છે અને તમે ઈક્વિટી બજાર વિશે કંઈ પણ ન જાણતા હો તો પણ એ લઈ શકાય છે. તમે એક પ્રયત્ન કરી શકો અને શેરમાં રોકાણ કરવા માટે પણ એસ.આઈ.પી. ને અનુસરી શકો છો. પરંતુ જ્યાં સુધી જોખમમાં વૈવિધ્ય ન લાવવામાં આવે ત્યાં સુધી આ કોઈ ચતુરાઈ ભર્યો ખ્યાલ નથી બનતો અને તેથી જ એ લોકપ્રિય પણ નથી.

કરવેરા પદ્ધતિમાં લાભ : ટૂંકી મુદતના મૂડીગત લાભ અને લાંબી મુદતના મૂડીગત લાભ બન્ને કિસ્સાઓમાં : શેરમાં રોકાણમાં તેમજ ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડના રોકાણોમાં એક જ પ્રકારની પ્રક્રિયાને અનુસરે છે. જ્યારે તમે શેરમાં રોકાણ કરો ત્યારે તમે કોઈ જ પ્રકારનો ટેક્સ લાભ પ્રાપ્ત નથી કરી શકતા. તેમ છતાં તમે જ્યારે ઈક્વિટી સાથે સંલગ્ન બચત યોજનામાં રોકાણ કરો છો ત્યારે તમે ટેક્સ લાભ મેળવી શકો છો, કે જે 3 વર્ષના લૉક - ઈન સમયગાળાનું ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ માટેનું રોકાણ છે. તમે 1,00,000 રૂપિયા સુધીની રકમ પર 80 (સી) કલમ અંતર્ગત ટેક્સ લાભ મેળવી શકો છો.

શેર અને ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ એ જ મૂડીના વર્ગના - ઈક્વિટીના સભ્ય છે, જે અન્ય અસ્કયામતો પર લાંબી મુદતના રોકાણોમાં શ્રેષ્ઠ વળતર આપે છે. જો તમે મર્યાદિત સમયગાળા માટેના તેમજ શેર બજાર અંગેનું ઓછું જ્ઞાન ધરાવતા છૂટક વૈયક્તિક રોકાણકાર છો તો ઈક્વિટી બજારમાં રોકાણ કરવા માટે મ્યુચ્યુઅલ ફંડ એ વધુ સારી ચેનલ ગણાય.

સ્મિતા હરિ (મુળ અંગ્રેજીમાં)
કલ્પેશ સોની (ગુજરાતી ભાષાંતર)

Investing in stocks and equity mutual funds - What are the differences?

This article was published on Moneycontrol

0 Comments

બેંક તરફથી કરાતા નાણાની બચતના પ્રસ્તાવ પર ધ્યાન આપો

4/2/2014

0 Comments

 
Picture
'ખર્ચા કરવા આસાન છે -  જ્યાં પણ જઈએ, ત્યાં એ હાજર જ હોય છે.' - અનામી

ભારતમાં રીટેઈલ બેંકિંગ ક્ષેત્રમાં ઘણી તકો ઉપલબ્ધ છે સાથે સાથે પડકારો પણ એટલા જ છે. આ પડકારો ગ્રાહકને સાચવવા તેમજ તેઓની સંખ્યા સ્થિર રાખવા અંગેના છે. તેઓની વ્યૂહરચનાના જ એક ભાગ રૂપે ગ્રાહકોને આકર્ષવા બેંકો કેટલાક મૌલિક પ્રકારના ઉત્પાદનો સાથે આવે છે. ગ્રાહકોએ એ ઉત્પાદનોના લાભ મેળવવા માટે તેના પર નજર રાખવી જોઈએ. અમે કેટલાક ઉત્પાદનોની નામાવલી તૈયાર કરી છે, કે જેમાં આપને રસ પડી શકે છે :

ઓટો ક્રેડિટ સેવાઓ : યસ બેંકે ઓટો ક્રેડિટ સેવાઓ શરૂ કરી છે કે જેમાં કોઈ પણ બેંકનો ગ્રાહક તેના એકાઉંટમાં ફંડ ટ્રાંસફર કરવાની 'વન - ટાઈમ ઈસીએસ'ની એક સૂચના આપી શકે છે, જેના કારણે યસ બેંકમાં પગાર ખાતાને મળનારા લાભો એ માણી શકે છે. ગ્રાહક 1,00,000 અને તેનાથી વધુ રૂપિયાના બેલેંસ પર 7 % ના દરે વ્યાજ પણ કમાઈ શકે છે જે મોટા ભાગની બધી બેંકોમાં બચત ખાતા પર મળનારા વ્યાજ કરતા ઘણું બધું વધારે છે. આમાં સૌથી ઉત્તમ બાબત તો એ છે કે આ સેવા શરૂ કરવા માટે કોઈએ તેની હાલની બેંક પર જવાની પણ જરૂર નથી. આથી તમારે તમારું હાલની જે બેંકમાં ખાતું છે એને બંધ કરવાની જરૂર નથી અને એ જ સમયે અન્ય બેંકમાંથી તમે ભારે વ્યાજ દરથી કમાણી કરી શકો છો.

પ્રોસેસિંગ ફીમાંથી મુક્તિ : યુનિયન બેંક ઓફ ઈંડિઆ ઓટો લોન અને હોમ લોન પર 26 જાન્યુઆરી, 2013 સુધી કોઈ પણ પ્રકારની પ્રોસેસિંગ ફી લેવાની ન હતી. આ યોજના 15 ઓગષ્ટ, 2012 ના રોજ શરૂ થઈ હતી. તમારામાંના કોઈએ એ સમયગાળા દરમિયાન કાર અથવા ઘર ખરીદવાનો નિર્ણય કર્યો હોત તો એ નક્કી કરવાની બાબત ઘણી યોગ્ય ગણાઈ હોત.

(બેંકો અવારનવાર આવી યોજનાઓ બહાર પાડતી રહે છે. તેના પર આપની નજર હોય તો તેનો તરત લાભ લઈ શકાય.)  

લઘુતમ બેલેંસ માપદંડ : ઘણી બેંકો બચત ખાતાઓમાં લઘુતમ બેલેંસની કલમ લાગુ કરે છે અને એ લઘુતમ બેલેંસની સરેરાશ જાળવણી કરવામાં નિષ્ફળ જનાર ગ્રાહકને કેટલોક દંડ પણ કરે છે. એસબીઆઈ બેંકે કેટલાક પ્રકારના બચત ખાતાઓમાં લઘુતમ બેલેંસના માપદંડને કાઢી નાંખ્યો છે.  કેટલાક અન્ય ભિન્ન પ્રકારના ખાતાઓમાં પણ લઘુતમ બેલેંસ 50 રૂપિયા જેટલું ઓછું રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. ગ્રાહકોની સંખ્યા વધારવાની આ એક સારી વ્યૂહ રચના છે.

સ્ત્રીઓના બચત ખાતા : આઈડીબીઆઈ બેંકે સ્ત્રીઓ માટે ખાસ પ્રકારની બચત ખાતાની શરૂઆત કરી છે. કે જેમાં ખાસ પ્રકારના લક્ષણો સામેલ કરવામાં આવ્યા છે -

1.    18 વર્ષથી નીચેની વયના તમારા બાળક માટે ખાતામાં ઝીરો બેલેંસ રાખી શકો છો.

2.   લોકર સેવામાં 25 % વળતર 

ઘણી અન્ય બેંકો પાસે પણ સ્ત્રીઓ માટે ખાતા અથવા લોનની યોજનાઓ તૈયાર કરાયેલી છે.

બેંકમાંથી તમે કોઈ સેવાઓ અથવા તેના ઉત્પાદનો ખરીદી રહ્યા હો ત્યારે બેંક તરફથી કરાતી ઓફર અથવા પ્રસ્તાવિત કરાતા ખાસ પ્રકારના લક્ષણો પર નજર રાખવાનું યાદ રાખો.  

Keep an eye for Money Saving Offers from banks


0 Comments
    FREE Email updates

    Archives

    January 2015
    October 2014
    September 2014
    April 2014
    March 2014
    February 2014
    January 2014
    November 2013
    October 2013
    September 2013
    August 2013

    Categories

    All
    Credit Card
    Credit Health
    Entrepreneurship
    Equity
    Estate Planning
    Financial Planning
    Insurance
    Kunjal
    Loan
    Mutual Funds
    Personal Finance
    Rohit
    Savings
    Smitha Hari
    Taxation
    Vidya Kumar
    Women

    RSS Feed

Follow @gettingyourich
  • Home
    • Rohit Shah's Corner
    • CSR >
      • Wealth Shiksha
  • Services
    • Financial Planning >
      • What we do
      • How we do
      • Why Us
    • Rate Card
    • Kids & Money
    • Employee Financial Wellness
    • Mutual Fund Advice
    • Disclaimer & Disclosure
  • Get Started
  • Blog
    • Resource Guide
    • Beyond Money
  • FREE
    • FREE Sample Plan
    • FREE eBooks
    • Videos
    • Calculators >
      • Retirement Planning Calculator
      • Life Insurance Planning Calculator
      • Goal Planning Calculator
      • Future Value Calculator
    • Templates
    • Infographics
  • Media
    • Quotes
    • Coverage & Interviews
    • Articles
    • Q&A
  • Gallery
    • Events
    • Testimonials >
      • Testimonials - Financial Planning
      • Testimonials - Blog & Media Articles
      • Testimonials - Seminars
    • Photos
    • Our Ads
  • Contact